Nimit Oza Quotes

We've searched our database for all the quotes and captions related to Nimit Oza. Here they are! All 26 of them:

એમરસને આપેલી સફળતાની વ્યાખ્યા કંઈક આવી છે : ‘વારંવાર અને ખડખડાટ હસી શકવું. બુદ્ધિશાળી લોકોનો આદર અને બાળકોનો પ્રેમ જીતી શકવો. પ્રામાણિક ટીકાકારોની પ્રશંસા મળવી. મિત્રોએ કરેલા વિશ્વાસઘાતને ફરિયાદ વગર ભૂલી શકવો. સુંદરતા માણી શકવી. ખામી શોધવાને બદલે લોકોમાં રહેલી શ્રેષ્ઠ ક્વોલીટી જોઈ શકવી. વૃક્ષારોપણ અને એક સ્વસ્થ સંવેદનશીલ સંતાન દ્વારા આ જગતને વધુ સુંદર બનાવી શકવું. કોઈ એક વ્યક્તિના જીવનમાં બદલાવ લાવવો. તમારી હયાતીને કારણે જો આ પૃથ્વી પરના એટલીસ્ટ કોઈ એક જીવની પીડા ઓછી થાય કે તેનું જીવન આરામદાયક બને, તો એ તમારી સફળતા.
Dr. Nimit Oza (નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો (Gujarati Edition))
જીવનમાં કેટલાક ફેરફારો બાહ્ય રીતે અનિચ્છનીય અને નેગેટીવ લાગે છે, પણ હકીકતમાં તેઓ અંદરની બાજુએ મોકળાશ કરતાં હોય છે. એવી જગ્યા બનાવતા હોય છે જ્યાંથી કશુંક નવું ઉગી શકે.
Dr. Nimit Oza
પરસ્પર લાભ સાથે શરૂ થયેલી કેટલીક મિત્રતા જાતીય આવેગોના શમ્યા પછી ફિક્કી, બેસ્વાદ અને સાધારણ બની જાય છે. એક સુંવાળા સહવાસથી શરૂ થયેલી કેટલીક મુલાકાત બહુ ગંદી અને ધૃણાસ્પદ લાગણીમાં પરિણમતી હોય છે.
Dr. Nimit Oza
જ્યારે એક સ્ત્રીને સમજાય જાય છે કે દરેકને રાજી રાખવા અશક્ય છે, ત્યારે એ જાતને રાજી રાખવાનું શીખી જાય છે.
Dr. Nimit Oza
કેટલાક લોકો ભેંટમાં એકાંત આપી જાય છે. વાત કે મુલાકાત કરવા માટે ના પાડીને કેટલાક લોકો આપણને ગિફ્ટ આપતા હોય છે. ગિફ્ટ ઓફ સોલીટ્યુડ. આપણે એ રીતે વિચારવું જોઈએ કે જો લોકો આપણને અવોઈડ કરી રહ્યા છે, તો આપણને વધારે સમય મળી રહ્યો છે. પુસ્તક વાંચવાનો, મેડીટેશન કરવાનો, આત્મ-નિરીક્ષણ કરવાનો અને દુભાયેલા હૃદયને છાનું રાખવાનો એક મોકો મળી રહ્યો છે. જે જવાબો કોઈની કંપનીમાં નથી જડતા, એ જવાબો ક્યારેક એકાંતમાં જડી જતાં હોય છે. જો કોઈનો ફોન કે મેસેજ નથી આવતો, તો એને જાતમાં ડૂબકી લગાવવાનું આમંત્રણ સમજવું. લોકોની ગેરહાજરીમાં જ આપણને એવું રીયલાઈઝ થતું હોય છે કે આપણે એકલા જ પર્યાપ્ત છીએ. અસ્વીકાર કે અવોઈડન્સ દ્વારા લોકો ક્યારેક આપણને એવું સમજવાની તક આપતા હોય છે કે આપણને એમની જરૂર જ નથી.
Dr. Nimit Oza (નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો (Gujarati Edition))
રીએક્ટ કરતાં પહેલાં એક વિરામ લઈ શકવો, એ માનવ બુદ્ધિ પ્રતિભા અને પરિપક્વતાનું મુખ્ય લક્ષણ છે. ઘણી બધી વાતો સીન ક્રિએટ કર્યા વગર પણ કહી શકાય, એ સમજણ એટલે ભાવાત્મક પરિપક્વતા.
Dr. Nimit Oza
લાયકાત વગરના પુરુષ સામે પોતાની જાત સમર્પિત કરી દીધા પછી, જો દીકરીને એ વાતનો અફસોસ રહ્યા કરે, તો એ નિષ્ફળતા દીકરીની નહીં, એના પિતાની છે. એક દીકરીની સેલ્ફ-વર્થ કેટલી છે, એ યોગ્ય ઉંમરે જો તેને જણાવવામાં ન આવે, તો ‘વલ્નરેબીલીટી’ અને ‘લવ-સિકનેસ’નો બોજો ઉપાડીને તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂતિ અને સમર્થન મેળવવામાં વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્ફ-વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઆલીટી સિવાય બીજું કશું જ નથી હોતું. કેટલા પુરુષો એનામાં ઈન્ટરેસ્ટેડ છે ? એવી વાતમાં જો દીકરી પોતાનું સ્વમાન શોધતી થઈ જાય તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ.
Dr. Nimit Oza (નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો (Gujarati Edition))
જે સમાજ આજે અશ્લીલતા પર હસે છે, એ આવતીકાલે મૂલ્યોના પતન પર રડશે. કારણકે જ્યાં શિષ્ટાચારનો નાશ થાય છે, ત્યાં માનવ સભ્યતાનો અંત બહુ દૂર નથી હોતો.
Dr. Nimit Oza
આપણું નવું જીવન હંમેશા આપણા જૂના જીવનનો ભોગ લઈને જ આવશે.
Dr. Nimit Oza
ક્યારેક આપણે વધારે પડતા પ્રયત્નો કરીએ છીએ. કશુંક મેળવવાના, કોઈકને મનાવવાના, કે કશુંક ઉકેલવાના જેટલા વધારે પ્રયત્નો કરીએ છીએ, પરિણામ આપણાથી એટલું જ દૂર થતું જાય છે. એવા સમયે ફાઈટ કરવા કરતાં ફ્લોટ કરવું જરૂરી હોય છે. આપણા અથાક પ્રયત્નો પછી પણ જ્યારે કશુંક આપણી તરફેણમાં નથી થતું, ત્યારે કુદરતી પ્રવાહને શરણે થઈ જવું. ઇચ્છિત પરિણામ માટે જ્યારે જ્યાં મહેનત નથી ફળતી, ત્યાં ધીરજ ફળે છે. કેટલાક બીજને અંકુરિત થવામાં થોડો વધારે સમય લાગે છે. એ સમય દરમિયાન વધારે ખોદકામ કરવાથી બીજ જલદી અંકુરિત નથી થઈ જતું. કેટલાક પરિણામ મેળવવા પ્રયત્નપૂર્વક દૂર રહેવું પડે છે અને કુદરતને કામ કરવા માટે થોડો સમય આપવો પડે છે.
Dr. Nimit Oza
જે ક્ષણે તમને વધારે સુખની ઝંખના થઈ, એ ક્ષણ પહેલાંનો તબક્કો એટલે સુખ.
Dr. Nimit Oza
પ્રિય લોકો પરફેક્ટ હોય એવો આગ્રહ છોડી દેવો. કારણકે કોઈના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કરતાં રહીશું, તો એમને ક્યારેય ચાહી નહીં શકીએ. આપણે ક્યારેય કોઈને ટુકડાઓમાં નથી ચાહી શક્તા. એમની સિલેક્ટેડ લાક્ષણિકતાઓને પ્રેમ કરીએ, અને અપ્રિય બાબતોને ધિક્કારીએ, એવું શક્ય નથી બનતું. પ્રિયજનને એમની અપૂર્ણતાઓ સાથે સ્વીકારી લેવા પડે છે. એમની અણગમતી બાજુઓને એમના વ્યક્તિત્વનો એક ભાગ ગણીને સ્વીકારી લેવી પડે છે. મોટાભાગે આપણી પાસે બે જ વિકલ્પો હોય છે, પ્રિય વ્યક્તિને કાં તો છોડી દેવી પડે છે, ને કાં તો એની અપૂર્ણતા સાથે સ્વીકારી લેવી પડે છે. કોઈ બદલાઈ એવી શરતે કે એવી આશામાં, ક્યારેય કોઈને ચાહી નથી શકાતા. જેના પરફેક્ટ બનવાની પ્રતીક્ષા કે જેને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એને પામી નથી શક્તા.
Dr. Nimit Oza (નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો (Gujarati Edition))
અમૂક સમય પછી દરેક રિલેશનશિપ ‘બોરિંગ’ થઈ જાય છે. આ એક એવું સત્ય છે, જે આપણને કોઈ નથી કહેતું. શરૂઆતમાં ગમ્મે તેટલો આહલાદક અને રોમાંચક કેમ ન હોય, દરેક સંબંધ ધીમે ધીમે શાંત, અનઈવેન્ટફૂલ કે કંટાળાજનક બની જાય છે. ધેટ્સ ઓકે. એનો અર્થ એ નથી કે એમાં રહેલો પ્રેમ લુપ્ત થઈ જાય છે. એનો અર્થ એમ કે પ્રેમ પરિપક્વ થતો જાય છે. જગતનો કોઈ સંબંધ આજીવન ‘હનીમૂન ફેઝ’માં નથી રહેતો. અને રહેવો પણ ન જોઈએ. જો એ કંટાળાજનક તબક્કામાં નહીં પ્રવેશે, તો પ્રેમમાં ઊંડાણ, ધીરજ, અને સ્થિરતા કઈ રીતે આવશે ? આ ‘બોરિંગ’ તબક્કામાં જ સંબંધોનું સ્થાયીકરણ થાય છે. A relationship settles down in stillness. અશુધ્ધિઓ ત્યારે જ તળિયે બેસે છે જ્યારે જળ શાંત થઈ જાય છે. એ કદાચ મોનોટોનસ કે નીરસ લાગી શકે, પણ એ સાધારણ લાગતી ક્ષણોમાં જ અસાધારણ પ્રેમનો ઉછેર થતો હોય છે.
Dr. Nimit Oza
પ્રેમનો લિટમસ ટેસ્ટ શાંતિ છે. જેમની હાજરીમાં તમે શાંત અને સુરક્ષિત હોવાનો અનુભવ કરો છો, ત્યાં પ્રેમ મળવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. કારણકે કોઈ પણ સંબંધમાં એક્સાઈટમેન્ટ, ઉત્સાહ, અને સરપ્રાઈઝ બહુ જલદી ઓગળી જાય છે, પણ શાંતિ આજીવન ટકે છે. રોમાંચ અને રોમાન્સના ભરોસે દૂર સુધી નહીં જઈ શકાય, કારણકે એ અલ્પજીવી હોય છે. આજ નહીં તો કાલ, શૃંગાર રસ ગાયબ થવાનો જ છે. પણ શાંત રસ ક્યાંય નહીં જાય કારણકે આપણો મૂળ સ્વભાવ શાંત રસ છે. વર્ષો સુધી જે સાથીઓ એકબીજાને શાંત રસ પીરસી શકે, તેઓ પ્રેમમાં પરિપક્વતા અને પ્રગતિ પામી શકે. મોડી રાત સુધી ચાલતી વોટ્સ-એપ ચેટ, કલાકો સુધી ચાલતા ફોન કોલ્સ, અને પેટમાં ઉડતા પતંગિયા બહુ જ ટૂંકા સમયમાં ગાયબ થઈ જાય છે. વહાલના ઉભરા શમી જાય છે. મુગ્ધાવસ્થાની બધી જ લાગણીઓ બળી જાય, પછી જે શાંત અને સ્થિર રાખ વધે એનું નામ પ્રેમ છે. જ્યાં બે જણા વચ્ચેનું મૌન કમ્ફોર્ટેબલ હોય, ત્યાં પ્રેમનું બીજ અંકુરિત થઈ શકે છે. એક પણ શબ્દ બોલ્યા વગર કોઈની બાજુમાં બેસીને તમે એને સાંભળી શક્તા હો અને એ તમને સમજી શક્તા હોય, તો રોમેન્ટિક મેસેજીઝ કે લાલ ગુલાબનો મોહ ન રાખવો. કારણકે શાંત સંગાથ સાહચર્ય માટેના શ્રેષ્ઠ શુકન છે. જે વ્યક્તિ સાથે રહીને તમને ઘર જેવી ફીલિંગ આવે, એ પ્રેમનો મુકામ છે. જે ભાવાત્મક તોફાન સર્જે એ નહીં, જે માનસિક શાંતિ તરફ વાળે એને પ્રેમ ગણવો.
Dr. Nimit Oza
જે કાયમ અધૂરો રહી જાય, એનું નામ જ પ્રેમ. જે પૂરો થઈ જાય છે, એ કાં તો સમય હોય છે ને કાં તો સંબંધ. પ્રેમ ક્યારેય પૂરો નથી થતો. પ્રેમની તાસીર જ અધૂરપ, અધીરાઈ અને અસંતોષ છે. જે તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય, એ પ્રેમ નથી. એ પ્રેમના બનાવટી સ્વરૂપો છે.
Dr. Nimit Oza (નિમિત્ત માત્ર : પ્રજ્ઞા અને પ્રતીતિની વાતો (Gujarati Edition))
જે છૂટી ગયું હોય કે છોડી દીધું હોય એને ક્લેઈમ કરવા ક્યારેય પાછા ન ફરવું. ભૂતકાળ બનેલી ક્ષણો પર દાવો કરવાથી ક્યારેક આપણે ફરી એ જ બેડીઓમાં પ્રવેશી જઈએ છીએ, જેમાંથી માંડ છુટકારો મેળવેલો. એ ક્ષણો ગમ્મે તેટલી સુખદ હોય, ભૂતકાળને ફરીથી જીવવાનો પ્રયત્ન કરવો મૂર્ખામી છે. કારણકે લાખ પ્રયત્નો પછી પણ એની એ જ ક્ષણોને આપણે ફરીથી જીવી નથી શકવાના. ભૂતકાળ ગમ્મે તેટલો પોકારે, એને પાછળ વળીને જોવાની ભૂલ ન કરવી. એ સુખદ યાદોને મનોમન ચૂમી લેવી અને આગળ વધવું.
Dr. Nimit Oza
ચાઈલ્ડહુડ ટ્રોમા કે અન્ય કોઈ જાતના ભાવનાત્મક આઘાત વગર વીતેલા શાનદાર બાળપણ માટે પણ ક્યારેક આપણે મમ્મી-પપ્પાના ઋણી હોઈએ છીએ. આપણા માનસ પર કેવી, કેટલી અને કઈ હદ સુધીની ઈજાઓ પહોંચી શકી હોત, એનો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે આપણે અન્ય કોઈને એ ઈજાથી પીડાતા જોઈએ છીએ. એ તમામ ભાવનાત્મક આઘાતથી બચાવીને આપણા સુધી માત્ર પ્રેમ પહોંચાડવા બદલ મમ્મી-પપ્પાને પેરેન્ટિંગનો ઓસ્કાર મળવો જોઈએ.
Dr. Nimit Oza
જ્યારે તમે ખરેખર જાતને પ્રાથમિકતા આપવા માંડો છો ત્યારે અમૂકને ગુમાવવા લાગો છો. તમારા ઉપેક્ષિત સ્વ-હિતથી જેટલા લોકોને લાભ મળતો, એ બધા હવે દૂર ચાલ્યા જશે. ધેટ્સ ઓકે. આત્મ-પોષણ માટે કેટલાક પરોપજીવીઓનું દૂર જવું આવશ્યક હોય છે.
Dr. Nimit Oza
સુંદરતા ધ્યાન આકર્ષી શકે, આદર નહીં. આ સૌંદર્યની કરુણતા છે. સુંદર લોકો માટે આ જગત થોડું વધારે કપરું હોય છે કારણકે લોકો જ્યારે તમને અયોગ્ય કારણસર ચાહવા લાગે ત્યારે એમાંથી કોઈની પસંદગી કરવી મુશ્કેલ હોય છે. કમનસીબે કેટલીક સુંદર સ્ત્રીઓને લોકો માણસ તરીકે નહીં, ટ્રોફી તરીકે જુએ છે. એક એવો એવોર્ડ કે વિજય ચિહ્ન જે ચાહવાની નહીં, પામવાની બાબત હોય.
Dr. Nimit Oza
જે લોકો આપણી પ્રાર્થનાસભામાં પણ બે મિનીટની હાજરી આપવાના હોય, એમના અભિપ્રાયોને કેટલુંક મહત્વ આપવાનું ? આપણી પ્રાર્થનાસભામાં જે લોકો આપણા ફોટાની સામે નહીં, ફોટાની બાજુમાં બેઠા હશે, બસ એ જ અત્યારે મહત્વના છે.
Dr. Nimit Oza
નિરક્ષર પાસે રહેવાથી જ્ઞાનકોશનું મહત્વ ઘટતું નથી. કેટલાક લોકોને દરેકની કિંમત ખબર હોય છે, પણ મૂલ્ય ખબર નથી હોતું. જો કોઈ તમને વાંચી કે સમજી નથી શકતું, તો એ એમની નિરક્ષરતા છે. એમના ‘કલર બ્લાઇન્ડ’ હોવાથી આપણા રંગો ઓછા નથી થવાના. જો કોઈ આપણી પ્રતિભા, સારપ, કે સફળતાની કદર નથી કરતું, તો એની ફરિયાદ શું કરવાની ? કોઈની પ્રશંસા, કદર, કે સમર્થનનું મહોતાજ હોય, એવું તેજ શું કામનું ? જેઓ ઈર્ષા, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હોય, તેમને દીવાનો પ્રકાશ પણ દઝાડશે જ. એમની ચિંતા કર્યા વગર, ચમક્યા કરો.
Dr. Nimit Oza
આપણે જેને સૌથી વધારે ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ, ક્યારેક એ જ આપણા માટે સૌથી જરૂરી હોય છે.
Dr. Nimit Oza
દરેક વખતે આપણી જ ભૂલ હોય એવું જરૂરી નથી. ક્યારેક ભૂલમાં આપણે આવી ગયા હોઈએ છીએ. કશું જ ખોટું ન કર્યું હોવા છતાં ક્યારેક યાતના ભોગવવી પડે છે. અકારણ મળેલી સજા જીવનનું મુખ્ય લક્ષણ છે. કારણકે લાઈફ ઈઝ અનફેર.
Dr. Nimit Oza
આપણામાં કોઈક ખોટ છે એવી માન્યતા જ ક્યારેક આપણી સૌથી મોટી ખોટ હોય છે.
Dr. Nimit Oza
દરેકની નજરમાં હીરો બનવાનું છોડી દઈએ, તો જીવન બહુ સરળ થઈ જાય છે. કેટલાકની નજરમાં આપણે નિષ્ફળ, નકામા કે નવરા જ રહેવાના. બસ, એટલું સ્વીકારી લઈએ તો ઘણી માનસિક શાંતિ મળશે.
Dr. Nimit Oza
કેટલા માર્ક્સ આવ્યા ?’ પૂછનારો મિત્ર હંમેશા સ્ટ્રેસ આપે છે. ઓનેસ્ટલી, તે મને મિત્ર ઓછો અને હરિફ વધારે લાગે છે. મિત્ર તો એવો હોવો જોઈએ જે પૂછે, ‘સ્કોર શું થયો ?
Dr. Nimit Oza